લોકસભાની ચૂંટણીઓ જાહેર થાય, આદર્શ
આચારસંહિતા અમલમાં આવે તે પુર્વે
રાજ્યની ભાજપ સરકારે
સરકારી અધિકારી-
કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિકાલ
માટે ફટાફટ નિર્ણયો જાહેર કરવાનું શરૃ
કર્યું છે. રાજ્યના સામાન્ય વહિવટ
વિભાગે ગુજરાત એડમિનિસ્ટ્રેટીવ
ર્સિવસ- જી.એસ.એસ.ના પ્રમોશન માટે
૪૦ વર્ષે સુધારો કર્યો છે.
નવી વ્યવસ્થા મુજબ
હવેથી ડેપ્યુટી કલેક્ટર એટલે કે જીએએસ
કેડરમાં પ્રમોશન માટે ૨ મામલતદારે ૧
ટીડિઓની પસંદગી થશે. અત્યાર સુધી ૩
મામલતદારે ૧ ટીડિઓનો રેશિયો હતો.
સામાન્ય વહિવટ વિભાગના આ
નિર્ણયથી વર્ષ ૨૦૧૪-૧૫ દરમિયાન
લગભગ ૭૦ જેટલા તાલુકા વિકાસ
અધિકારીને જીએએસ કેડરમાં પ્રમોશન
મળશે. મહેસૂલના મામલતદારોની જેમ
પંચાયત હસ્તકના ટીડિઓની તક વધશે. અને
આ અધિકારીઓને આઈએએસ નોમિનેશન માટે
પણ તક ઉપલબ્ધ બનશે. ઉલ્લેખનિય છે કે,
રાજ્યમાં મામલતદારોની ૬૫૦
જેટલી જગ્યા છે. તાલુકા વિકાસ
અધિકારીઓ માટે ૫૮૧ જગ્યાઓ મંજુર
થયેલી છે. સરકારના આ નિર્ણય બાદ
અધિકારીઓ માટેના પડતર
પ્રશ્નો ઉકેલતા મંત્રીઓનું કોરગ્રુપ હવે
ફિક્સવેતનદારો માટે પણ ચૂંટણી પુર્વે
સકારાત્મક નિર્ણય કરશે
તેવી આશા કર્મચારી સંગઠનો કરી રહ્ય
છે. ગત શનિવારે
સચિવાવયમાં મુખ્યમંત્રી નરેન્દ્ર
મોદીની અધ્યક્ષતામાં મંત્રીઓની બેઠક
મળી હતી.
જેમાં નિવૃતીની વયમર્યાદા ૫૮થી વધારીને
૬૦ કરવા મુદ્દે ચર્ચા થઈ હોવાનુ
સત્તાવાર વર્તુળોમાંથી જાણવા મળ્યુ છે.
લાંબા સમયની રજૂઆતનો ઉકેલને આવકારએ
છીયે. વર્ષો અગાઉ
તાલુકા ઓછા હોવાથી પંચાયત
કેડરના ટીડિઓની જગ્યા ઓછી હતી. જે
હવે વધી છે.
૨-૧નો રેશિયાથી પંચાયતના અધિકારીને
પણ પ્રમોશનની ઉત્તમ તક મળશે.'' -
ગોપાલ બામણિયા, વાઈસ પ્રેસિડેન્ટ,
ગુજરાત સ્ટેટ ઓફિસર્સ ફેડરેશન
શિક્ષકના મૃત્યુકાળે રૃ.૧ લાખ,સંતાનોને
૨૫,૦૦૦ની સહાય
વિધાનસભાના લેખાનુદાન
સત્રમાં ગ્રાન્ટેડ છાત્રાલયોના ૭,૫૦૦
કર્મચારીઓના વેતનમાં બમણો પગાર
વધારો કર્યા બાદ ગુજરાત સરકારે
પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર
માધ્યમિકમાં ફરજ
બજાવતા શિક્ષકો માટે આર્િથક
પેકેજો જાહેર કર્યા છે. રાજ્યમાં કોઈ પણ
શિક્ષકનું ફરજ દરમિયાન મૃત્યુ થાય
તો તેવા કિસ્સાઓમાં રાજ્ય સરકાર
તેવા શિક્ષકના પરિવારજનોને
રૃપિયા એક લાખની આર્િથક મદદ કરશે.
તેવી જાહેરાત શિક્ષણમંત્રીએ
કરી હોવાનુ રાજ્ય પ્રાથમિક શિક્ષક
સંઘના પ્રમુખ ચંદુલાલ જોષીએ જણાવ્યુ છે.
મંત્રી સાથે મળેલી બેઠકમાં પ્રાથમિક,
માધ્યમિક અને ઉચ્ચત્તર
માધ્યમિકમાં ફરજ
બજાવતા શિક્ષકોના સંતાનો જો મેડિકલ,
ડેન્ટલમાં પ્રવેશ મેળવે તો તેમને કમ્પ્યુટર,
પુસ્તકો માટે રૃ.૨૫,૦૦૦ની સહાય
સરકાર તરફથી મળશે. આ નિર્ણયને
પ્રાથમિક શિક્ષક સંઘ, ઉચ્ચત્તર
પ્રાથમિક શિક્ષક સંઘ અને મહામંડળે
આવકાર્યો છે.
Source by Pravin Dabhani
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો